ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. તેમની સાથે વિદેશ મંત્રીએ પણ આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે બંનેના મોત હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા છે. ઘણા કલાકોની મહેનત બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો. ખરેખર, હેલિકોપ્ટર રવિવારે અઝરબૈજાનના ગાઢ અને પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું
રઈસી સાથે હેલીકોપ્ટરમાં દેશના નાણામંત્રી બેઠા હતા. પૂર્વી અઝરબૈઝાન વિસ્તારમાં હેલીકોપ્ટરનું હાર્ડ લેંડિંગ કરાવ્યું. ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ ટીમ મોકલી દેવામાં આવી છે. તેહરાન ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ઈરાની રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલીકોપ્ટર સામેલ હતા, જેમાંથી બે પોતાના ડેસ્ટિનેશન પર સહી સલામત પહોંચી ગયા, પણ એક દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. સરકારી ટીવીએ જણાવ્યું છે કે, આ ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ ૬૦૦ કિમી ઉત્તર પશ્ચિમમાં અઝરબૈઝાન રાષ્ટ્રની સરહદ પર આવેલા શહેર ઝોલ્ફાની નજીક થઈ છે.
તુર્કીના ડ્રોન અકિંચીએ ક્રેશ વિસ્તારમાં ગરમીના સ્ત્રોતની ઓળખ કર્યા બાદ ઈરાની સત્તાવાળાઓએ સોમવારે ઈબ્રાહિમ રાયસીને લઈ જઈ રહેલા ક્રેશ થયેલા હેલિકોપ્ટર તરફ બચાવ ટીમ મોકલી હતી. આકાંસી યુએવીએ એકની ઓળખ કરી. ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીને લઈ જતું હેલિકોપ્ટરના ભંગારની વિગતો ઈરાની સત્તાવાળાઓ સાથે શેર કરવામાં આવી છે.
કતારનું કહેવું છે કે ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરના દુર્ઘટના બાદ તે ઈરાનને તમામ સહાય આપવા તૈયાર છે. કતારના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ વાત કહી છે. ઈરાની મીડિયા અહેવાલો કહે છે કે ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરમાં સવાર બે મુસાફરો સાથે સંપર્ક કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :-