Saturday, Nov 1, 2025

કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, કુપવાડામાં બે આતંકી ઠાર

1 Min Read

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં LOCને અડીને આવેલા ગુગલધર વિસ્તારમાં આજે શનિવારે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. ત્રણથી ચાર આતંકવાદીઓ હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં હજુ પણ ફાયરિંગ ચાલુ છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.

aatankwadi - Bharatiya

ભારતીય સેનાએ કહ્યું છે કે, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. આર્મીના શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સૈનિકોએ ગુગલધરમાં શંકાસ્પદ ગતિવિધિઓ જોયા અને ઘૂસણખોરોને પડકાર્યા, જેના કારણે ગોળીબાર થયો. ઓપરેશન હજુ પણ ચાલુ છે અને તેનું નેતૃત્વ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ કરી રહી છે.

શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં એલઓસી નજીક થયેલા વિસ્ફોટમાં સેનાના બે જવાનો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ઉત્તર કાશ્મીર જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં એલઓસી પર ગુગલદરામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે થયેલા વિસ્ફોટમાં સેનાના બે સૈનિકો ઘાયલ થયા હતા.” બંને સૈનિકોને ડ્રગમુલ્લા સ્થિત આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે

આ પણ વાંચો :-

Share This Article