HomeInternationalભારત-ચીનનો નવો સંકલ્પ: બોર્ડર મેનેજમેન્ટથી લઈને વૈશ્વિક પડકારો સુધી સંયુક્ત લડત

ભારત-ચીનનો નવો સંકલ્પ: બોર્ડર મેનેજમેન્ટથી લઈને વૈશ્વિક પડકારો સુધી સંયુક્ત લડત

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં મોટો વળાંક આવ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતની મુલાકાત દરમિયાન ભારત-ચીન બોર્ડર મેનજમેન્ટ અને નિયંત્રણ અંગે નવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પછી બંને દેશો વચ્ચે તણાવ ઘટી શકે છે અને સરહદ પર શાંતિ જાળવવા માટે નવું માળખું ઉભું થશે

ભારત-ચીનનો નવો સંકલ્પ:
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે હવે ભારત અને ચીન વિવિધ ક્ષેત્રોમાં ફરી સંવાદ શરૂ કરશે, પરસ્પર લાભદાયી સહકારના નવા રસ્તા બનાવશે અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા સંયુક્ત રીતે કાર્ય કરશે. મહત્વનું એ છે કે બંને દેશોએ એકતરફી પગલાંનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે, જેથી સરહદ પર વિશ્વાસ અને સ્થિરતા વધારી શકાય.

આ નવા કરારથી માત્ર સુરક્ષા જ નહીં પરંતુ વેપાર, રોકાણ અને વૈશ્વિક મંચ પર ભારત-ચીન સહયોગના નવા દ્વાર ખૂલ્લા થઈ શકે છે. વિશ્લેષકો માને છે કે આ પગલું એશિયાની જિઓ-પોલિટિક્સમાં મોટો ફેરફાર લાવી શકે છે.

Subscribe

Latest stories