Thursday, Oct 23, 2025

ગુજરાતમાં 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે

1 Min Read

રાજ્યભરમાં 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી ખરીદીનો શુભારંભ કરાવશે. 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. વેચાણ માટે 3 લાખ 33 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી. ઓનલાઇન નોંધણી માટે 10 નવેમ્બર છેલ્લો દિવસ છે.

Bhupendra Patel To Be Gujarat CM Again | Pragativadi | Odisha News, Breaking News Odisha, Latest Odisha News

કૃષિ મંત્રી રાઘવજીભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા.11 નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 3,33,000થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ.1,34660 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.

મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4,000 કિ.ગ્રા એટલે કે, 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article