સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય, મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો

Share this story

ગુજરાત સરકાર ફટાફટ નિર્ણયો કરવા લાગી છે. ૩ જુલાઈના રોજ ૨૪૭૦૦ શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યા બાદ હવે સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા વધારાનો લાભ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૪થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૧ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૭૩ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. આમ આ નિર્ણયનો લાભ ૯.૪૪ લાખ પેન્શનર્સ-કર્મચારી લાભ થશે.

અરે વાહ સરકારી કર્મચારીઓને બખ્ખા! હવે તો NPSમાં પણ 40-45 ટકા જેટલું પેન્શન મળશે

મોંઘવારી ભથ્થાની ૬ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૦ જૂન ૨૦૨૪ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તદાનુસાર, જાન્યુઆરી તથા ફેબ્રુઆરી મહિનાની તફાવતની રકમ જુલાઈના પગાર સાથે, માર્ચ અને એપ્રિલની તફાવતની રકમ ઓગસ્ટના પગાર સાથે તેમજ મે અને જૂનના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બરના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે.

રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને ૧૧૨૯.૫૧ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો :-