IIT Bombayના ઓપન એર થિયેટરમાં રામાયણના પત્રો પર આધારિત કથિત રીતે વાંધાજનક નાટક ભજવનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલા ભરવામાં આવ્યા છે. સિનિયર વિદ્યાર્થીઓને 1.2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે જુનિયર વિદ્યાર્થીઓને 40,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને હોસ્ટેલનીમાંથી પણ બહાર કરવામાં આવ્યા છે.
ભજવવામાં આવેલા નાટકમાં ભગવાન રામ અને સીતાનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ લાગવવામાં આવ્યો હતો. આ મામલે સંસ્થાએ કડક કાર્યવાહી કરીને વિદ્યાર્થીઓ પર દંડ ફટકાર્યો છે, દંડની રકમ એક સેમેસ્ટરની ફી જેટલી છે. જો કે વિદ્યાર્થીઓએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે.
વધુમાં આ નાટકમાં એવું પણ દર્શાવવામાં આવ્યું હતું કે, રામ સીતા પર બળનો ઉપયોગ કરે છે. વધુમાં સીતા રાવણ વિશે કહે છે કે, તે એક વાસ્તવિક માણસ છે. વળી, આવો માણસ આજ સુધી આ કુળમાં ક્યારેય જોવા મળ્યો નથી. સીતા કહેતી જોવા મળે છે કે સારું થયું કે ઘોડો તેને ત્યાં લઈ ગયો. આ નાટકમાં દર વખતની જેમ આ વખતે પણ રાવણના કાર્યોને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલી નોટિસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર IIT B for Indiaએ શેર કરી હતી, જે IIT બોમ્બે કેમ્પસનું જ એક જૂથ છે જે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખવાનો દાવો કરે છે. આ જૂથે જ નાટકનો વિરોધ કર્યો હતો. બાદમાં સંસ્થાનની કાર્યવાહીનું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો :-