એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી જમીન સાથે જોડાયેલા અવાજોમાંથી એક છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં નવાઝે સફળતા વિશે એક મજબુત અને નિખાલસ વિચાર રજૂ કર્યો હતો. જેમાં તેણે લાંબા સમયથી ચાલતી માન્યતાને પડકારી અને કહ્યું કે કારકિર્દી ઘડવામાં ‘નસીબ’ મહત્વનું નથી.
જ્યાં ઘણા લોકો પોતાની સફળતાનો શ્રેય નસીબને આપે છે એવી ઇન્ડસ્ટ્રીમાં, નવાઝુદ્દીન પોતાના મંતવ્ય પર અડગ રહ્યા કે મહેનત, તાલીમ અને સતત અભ્યાસ જ સફળતા માટેના સાચા સાધનો છે. પોતાના વિચાર શેર કરતા તેણે કહ્યું, હું આ વ્યવસાયમાં ઘણી પ્રેક્ટિસ સાથે આવ્યો છું અને હું દરેક અભિનેતાને કહું છું કે તેઓ નસીબ પર ઓછો અને પ્રેક્ટિસ પર વધુ વિશ્વાસ રાખે. તાલીમ ખુબ મહત્વની છે અને વર્કશોપ્સ પણ એટલી જ જરૂૂરી છે.
તેમણે સીધો પડકાર આપ્યો કે નસીબ વ્યક્તિના જીવનમાર્ગને નક્કી કરી શકે છે-એવું તેમણે ઘણી વાર સાંભળ્યું છે મેં ઘણા મોટા કલાકારો અને નિર્દેશકો પાસેથી સાંભળ્યું છે કે નસીબ ખુબ મહત્વનું છે. પરંતુ હું તમને કહું છું કે નસીબ કામ નથી કરતું. મારા માટે તો કામ નથી કર્યું. કદાચ બીજા માટે કામ કરે, પરંતુ મને તેમાં 0% વિશ્વાસ છે.