Monday, Dec 22, 2025

‘હું સંજય દત્તને નિર્દોષ માનું છું’, વકીલ ઉજ્જવલ નિકમે મુંબઈ બ્લાસ્ટ પર મોટી વાત કહી

4 Min Read

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ભલામણ બાદ સરકારના મુખ્ય વકીલ ઉજ્જવલ નિકમ હવે રાજ્યસભાના સભ્યપદ લેવા જઈ રહ્યા છે. આ પહેલા તેમણે NDTV ને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાના કાયદાકીય કારકિર્દી વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો સાથે જોડાયેલી વાતો પણ કહી હતી. તેમણે સંજય દત્ત વિશે કહ્યું કે કાયદાની નજરમાં તેમણે ગુનો કર્યો છે, પરંતુ તેઓ એક સરળ માણસ છે, હું તેમને નિર્દોષ માનું છું. આ સાથે તેમણે સંજય દત્ત સાથે જોડાયેલી એક ઘટના શેર કરી અને કહ્યું કે જો સંજય દત્તે બંદૂકો રાખતી વખતે પોલીસને જાણ કરી હોત તો મુંબઈમાં વિસ્ફોટો ન થયા હોત, તે ટાળી શકાયા હોત.

મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 267 લોકોના મોત થયા હતા
રાજ્યસભામાં જવાની તૈયારી કરી રહેલા પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમે મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટ અંગે દાવો કરતા કહ્યું કે, જો સંજય દત્તે હથિયારોથી ભરેલી વાન વિશે પોલીસને માહિતી આપી દીધી હોત તો કદાચ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો ટાળી શકાયા હોત. 1993માં દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 267 લોકોના મોત થયા હતા.

શોખ હોવાથી AK 47 રાખી
વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું, ‘હું ફક્ત એક જ વાત કહેવા માંગુ છું કે વિસ્ફોટ 12 માર્ચે થયો હતો. જેના એક દિવસ અગાઉ એટલે કે 11 માર્ચે હથિયારો ભરેલી વાત લઈને અબુ સાલેમ તેના ઘરે આવ્યો હતો. આ વાનમાં વિવિધ હથિયારો, હેન્ડ ગ્રેનેડ, AK 47 ભરેલા હતા. સંજય દત્તે કેટલાક હેન્ડ ગ્રેનેડ અને બંદૂકો લીધી હતી. એ પછી તેણે બધું પાછું આપ્યું અને ફક્ત એક AK 47 રાખી.’

જ્યારે સંજય દત્ત કોર્ટમાં ગભરાઈ ગયો
મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ઉજ્જવલ નિકમને તે સમયની એક ઘટના વિશે પૂછવામાં આવ્યું જે કોઈને ખબર નથી. આના પર નિકમે કહ્યું કે જ્યારે સંજય દત્તને આર્મ્સ એક્ટ હેઠળ સજા ફટકારવામાં આવી ત્યારે તે ગભરાઈ ગયો હતો. તેથી તેની અને સંજય દત્ત વચ્ચે કંઈક એવું બન્યું જે તેણે ક્યારેય શેર કર્યું નહીં. ઉજ્જવલ નિકમે કહ્યું કે સજા સંભળાવ્યા પછી સંજય દત્તે પોતાનો કાબુ ગુમાવી દીધો. તેણે કહ્યું, “મેં તેના હાવભાવ બદલાતા જોયા. મને લાગ્યું કે તે આઘાતમાં છે. તે ચુકાદો સહન કરી શકતો નથી.” સંજય નિકમે પછી કહ્યું, “તે સાક્ષી પેટીમાં હતો અને હું નજીકમાં હતો અને મેં તેની સાથે વાત કરી. તમને યાદ હશે કે તે ચૂપ થઈ ગયો અને પછી ચાલ્યો ગયો.”

ઉજ્જવલ નિકમે સંજય દત્તને શું કહ્યું?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે અભિનેતા સંજય દત્તને શું કહ્યું, ત્યારે ઉજ્જવલ નિકમે કહ્યું કે તેઓ પહેલી વાર આ વિશે વાત કરી રહ્યા છે. મેં સંજયને કહ્યું, ‘સંજય આવું ના કર. મીડિયા તને જોઈ રહ્યું છે. તું એક અભિનેતા છે. જો તું સજાથી ડરતો દેખાય છે, તો લોકો તને દોષી માનશે. તારી પાસે અપીલ કરવાની તક છે.’ તેમણે કહ્યું, ‘હા સાહેબ, હા સાહેબ.’ તમને જણાવી દઈએ કે કોર્ટે સંજય દત્તને ટાડા હેઠળ આતંકવાદી હોવાના આરોપમાંથી મુક્ત કર્યો હતો, પરંતુ આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. બાદમાં, સુપ્રીમ કોર્ટે તેની છ વર્ષની સજા ઘટાડીને પાંચ વર્ષ કરી. સંજય દત્તે પુણેની યરવડા જેલમાં આ સજા પૂર્ણ કરી.

Share This Article