HomeNationalતમિલનાડુના શિવાકાશી ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ! 5 લોકોના મોત

તમિલનાડુના શિવાકાશી ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ! 5 લોકોના મોત

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

મંગળવારે સવારે તમિલનાડુના શિવાકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ગામમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હોવાની આશંકા છે. જ્યારે અન્ય 4 ગંભીર રીતે દાઝ્યા છે.

ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા
જણાવી દઇએ કે, ફેક્ટરીમાંથી ગાઢ ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. ઘાયલ કામદારોને તાત્કાલિક વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલુ છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરીમાં જોડાઈ છે. કાટમાળ દૂર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેથી ખાતરી કરી શકાય કે કોઈ કામદાર ફસાયેલ નથી. આ ઘટનાએ શિવકાશી, જે ભારતની “ફટાકડાની રાજધાની” તરીકે ઓળખાય છે, ત્યાં સલામતીના ધોરણો અને ફેક્ટરીઓની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

ફેક્ટરી પાસે અવાજરહિત ફટાકડાં ઉત્પાદિત કરવાનું લાયસન્સ હતું. જો કે, જરૂરી વ્યૂહાત્મક સુવિધાઓ વિના ફેન્સી ફટાકડાંનું ગેરકાયદે ઉત્પાદન કરી રહી હોવાનું નિરિક્ષણમાં જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે વિસ્ફોટનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બચાવ કામગીરી અને તપાસ
શિવકાશી અને સંગારેડ્ડી બંને વિસ્ફોટની ઘટનાઓમાં બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી. શિવકાશીમાં, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો કાટમાળમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે સતત કામ કરી રહી છે, જ્યારે સંગારેડ્ડીમાં NDRF અને SDRFની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. બંને ઘટનાઓના કારણોની તપાસ માટે સરકારી એજન્સીઓ અને ટેકનિકલ નિષ્ણાતોની ટીમો નિયુક્ત કરવામાં આવી છે. આ ઘટનાઓએ ઔદ્યોગિક સલામતીના ધોરણોને વધુ કડક કરવાની અને કામદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની તાતી જરૂરિયાત દર્શાવી છે.

Subscribe

Latest stories

spot_img