ગુજરાતમાં ઉનાળા વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઉનાળામાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સોમવારે રાત્રે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા, ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં કેટલીક જગ્યાએ કરા પડ્યા હતા. તો બીજી તરફ કમોસમી વરસાદે ગુજરાતમાં ઠેકઠેકાણે તારાજી સર્જી હતી. જેના પગલે જાનમાલનું મોટું નુકસાન પણ થવા પામ્યું છે. અત્યારે સુધીમાં ગુજરાતમાં કુલ 14 લોકોના મોત નીપજ્યા છે.
ગુજરાતમાં સોમવારે સોમવારે સવારે 6 વાગ્યાથી આજે મંગળવાર સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના 168 તાલુકામાં એક મિમિથી લઈ દોઢ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે રાજ્યમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા હતા.તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી મૃતકોની યાદી પ્રમાણે રાજ્યમાં કુલ 14 લોકોના મોત નીપજ્યા છે. જેમાં સૌથી વધુ મોત ખેડા જિલ્લામાં થયા છે.
કમોસમી વરસાદને પગલે 26 પશુઓના પણ મોત થયા છે, સૌથી વધુ પશુઓના મોત પંચમહાલ જિલ્લામાં થયા છે.. પંચમહાલ જિલ્લામાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને પગલે 9 લોકોના મોત થયા છે તો મહેસાણામાં 7 લોકોના મોત થયા છે. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થયા છે.. વીજપોલ ધ્વસ્ત થઇ ગયા છે અને હોર્ડિંગ્સ તૂટવાની ઘટના પણ સામે આવી છે.
કમોસમી વરસાદે રાજયમાં 14 લોકોના મોત નિપજ્યા
| તાલુકો | મૃતકનું નામ | મોતનું કારણ |
| વિરમગામ | ઠાકરો મંગાજીભાઈ કમશીભાઈ | વીજળી પડવાથી |
| આણંદ | કાળીબેન બીલ્લો વસાવા | દિવાલ પડવાથી |
| ઠાસરા | કપિલાબેન કેસરીસિંહ ચાવડા | ઝાડ પડવાથી |
| દેવગઢબારિયા | પટેલ શંકરભાઈ શનાભાઈ | ઝાડ પડવાથી |
| નડિયાદ | સોઢા મહેસભાઈ જુવાનસિંહ | ઝાડ પડવાથી |
| મહેમદાવાદ | બારૌયા રણજીતસિંહ બુધાભાઈ | મકાન પડવાથી |
| દસક્રોઈ | હિંમાશું કુમાર ઉર્ફે ચકો રાજેન્દ્રભાઈ પરમાર | હોર્ડિંગ પડવાથી |
| ભીલોડા | ડામોર વિશાલકુમાર દિપકભાઈ | વીજળી પડવાથી |
| મેઘરજ | લાલજીભાઈ શંકરભાઈ ગેલોત | વીજળીપડવાથી |
| દેબવઢબારિયા | લબડા મંગીબેન કુવાબારી | ઝાડપડવાથી |
| મહેમદાવાદ | વાલીબેન મોહનભાઈ ભરવાડ | છત પડવાથી |
| વડોદરા શહેર | જયેશભાઈ મોરે | કરંટ લાગવાથી |
| વડોદરા શહેર | વર્ત ડાંગર | કરંટ લાગવાથી |
| વડોદરા શહેર | ગીરીશ ચૌરે | હોર્ડિંગ પડવાથી |