સોનમ વાંગચુકની અટકાયત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટ સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ મનમોહનની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલે સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે, લદ્દાખથી દિલ્હી પહોંચેલા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને દિલ્હી બોર્ડર પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
30 સપ્ટેમ્બરે લગભગ 120 લોકો સાથે લેહથી દિલ્હી આવી રહેલા સોનમ વાંગચુકના કાફલાને દિલ્હીની સિંધુ બોર્ડર પર રોકીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેઓ દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર વિરોધ કરવા આવી રહ્યા હતા. દિલ્હી પોલીસે છ દિવસ માટે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 163 લાગુ કરી છે. આ અંતર્ગત કોઈપણ વિરોધને મંજૂરી આપવામાં આવશે નહીં.
સોનમ વાંગચુકને ત્યારબાદ 2 ઓક્ટોબરે છોડી દેવામાં આવ્યા હતા. સોનમ વાંગચુક 2 ઓક્ટોબરે રાજઘાટ ગયા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. દિલ્હી પોલીસે 6 દિવસ માટે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 163 લાગુ કરી હતી. આ અંતર્ગત કોઈપણ વિરોધને મંજૂરી આપવામાં આવશે નહીં.
સોનમ વાંગચુકની ધરપકડને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. વિરોધ પક્ષોએ અટકાયતની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સોનમ વાંગચુકને મળવા આવ્યા હતા, પરંતુ તેમને મળવા દેવાયા નહોતા. વાંગચુક લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અને બંધારણની છઠ્ઠી સૂચિમાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે. વાંગચુકે 1 સપ્ટેમ્બરથી લેહથી પોતાની યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા લગભગ એક હજાર કિલોમીટરની હતી.
આ પણ વાંચો :-