Sunday, Sep 14, 2025

આરોગ્ય વિભાગ દ્વારા PM-JAY યોજનામાં આવતી 7 હોસ્પિટલને કરી સસ્પેન્ડ

2 Min Read

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં એવી અનેક હોસ્પિલટો છે, જેમાં PM-JAY યોજનાનો ખોટી રીતે ઉપયોગ કરીને સરકાર પાસે પૈસા પડાવી લેવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. મહત્વની વાત છે કે, અત્યારે આવી અનેક હોસ્પિટલોના નામ પણ સામે આવ્યાં છે. જે બાબતે અત્યારે કાર્યવાહીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા PM-JAY યોજનામાંથી સાત જેટલી હોસ્પિટલનો સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, અત્યારે PM-JAY યોજનામાંથી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે PM-JAY યોજનામાં સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરીને મોટી કાર્યવાહી કરીને આવી રીતે કૌભાંડ આચરતી હોસ્પિટલનો ચેતવણી આપી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદની 03 હોસ્પિટલ, સુરત-વડોદરા-રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની એ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ કાર્યવાહી PM-JAYમાં આવતી અન્ય હોસ્પિટલો માટે પણ ચેતવણીરૂપ છે.

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) યોજના હેઠળ ગુજરાતમાંથી પાંચ વર્ષમાં કૂલ 46.23 લાખ દર્દીઓએ સારવાર લીધી છે. આ દર્દીઓની સારવાર પાછળ રૂપિયા 9 હજાર 993 કરોડની રકમની સહાય ચૂકવવામાં આવી છે. આયુષ્યમાન યોજના હેઠળ યુરોલોજીમાં સૌથી વધુ રૂપિયા 678 કરોડ, કાર્ડિયોલોજી પાછળ રૂપિયા 650 કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

હોસ્પિટલની સાથે-સાથે મલ્ટિસ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોને પણ કાર્યવાહી હેઠળ ચાર ડૉકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડૉ. પ્રશાંત વઝીરાણી પણ સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરી છે. તેમજ જે પણ હોસ્પિટલ કે ડૉક્ટરના આ કૌભાંડમાં નામ સામે આવશે તે તમામની સામે આ પ્રકારની જ કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, આ તમામ હોસ્પિટલ અને ડૉક્ટર સામે હજુ સુધી ફોજદારી ગુના હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો :-

Share This Article