દિગ્દર્શક નિતેશ તિવારીની ₹4000 કરોડના બજેટની ફિલ્મ “રામાયણ” ને લગતી અફવાઓનો અંત લાવતા અભિનેતા વિક્રાંત મેસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એક વાતનો ખુલાસો કર્યો છે.
વિક્રાંત મેસી જણાવ્યું હતું કે તે ક્યારેય આ પ્રોજેક્ટનો ભાગ નહોતો. “રામાયણ” ના કાસ્ટિંગ અંગેના તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિક્રાંત મેસીને ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ બીજા અભિનેતાને લેવામાં આવ્યા છે, જેના કારણે તે ખૂબ જ દુઃખી થયા છે.
પોસ્ટમાં વિક્રાંત મેસીએ સ્પષ્ટતા કરી કે “રામાયણ” માં તેના રોલ સંબંધિત કોઈપણ સમાચાર ખોટા અને ભ્રામક છે. તેણે મીડિયાને આવા સમાચાર ફેલાવતા પહેલા સાચી માહિતીની ચકાસણી કરવા અપીલ કરી હતી. વિક્રાંત મેસીએ ફિલ્મના કલાકારો અને ક્રૂને શુભેચ્છાઓ અને પ્રેમ પણ પાઠવ્યો હતો.
વિક્રાંત મેસીએ અફવાઓ શું કહ્યું?
વિક્રાંત મેસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું, “અફવાઓનો અંત લાવવા માટે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું ક્યારેય નિતેશ તિવારીની રામાયણનો ભાગ નહોતો. મારા ‘રિપ્લેસમેન્ટ’ની જાણ કરી રહેલા વિવિધ મીડિયા પોર્ટલોએ જરૂરી બેકગ્રાઉન્ડ તપાસ કરવી જોઈતી હતી. આ ખૂબ જ નિરાશાજનક છે, પરંતુ ફિલ્મનો ભાગ રહેલા દરેકને શુભેચ્છાઓ અને પ્રેમ.”
રામાયણમ મુવી
નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત, “રામાયણ” માં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા અને KGF સ્ટાર યશ રાવણ તરીકે છે. આ ફિલ્મનું શૂટિંગ ઝડપથી ચાલી રહ્યું છે. “રામાયણ” માં ઘણા અન્ય સ્ટાર્સ પણ જોવા મળશે, જેમાં હનુમાન તરીકે સની દેઓલ, જટાયુ તરીકે અમિતાભ બચ્ચન અને કૈકેયી તરીકે લારા દત્તાનો સમાવેશ થાય છે.
ફિલ્મનું સંગીત એ.આર. રહેમાન અને હોલીવુડ સંગીતકાર હંસ ઝિમર દ્વારા કંપોઝ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવી રહી છે, જેમાં ભવ્ય સેટ છે. હોલીવુડના ટોચના સ્ટંટ ડિરેક્ટર ટેરી નોટરી અને ગાય નોરિસે એક્શન સિક્વન્સ કોરિયોગ્રાફ કર્યા છે. “રામાયણ” IMAX ફોર્મેટમાં ફિલ્માવવામાં આવી રહી છે.