Thursday, Dec 18, 2025

રાજદ્રોહ કેસમાંથી હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને રાહત, જાણો સમગ્ર મામલો

1 Min Read
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

સુરતની સેશન્સ કોર્ટે આજે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને વર્ષો જૂના રાજદ્રોહ કેસમાંથી મુક્ત કર્યા છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર કેસને પરત ખેંચવા માટે સરકાર તરફથી કરવામાં આવેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે, જેના પરિણામે તમામ આરોપીઓનો આ કેસમાંથી સંપૂર્ણ છુટકારો થયો છે.

આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ કાયદાકીય રજૂઆતો કરી હતી. સરકારના આ નિર્ણય અને કોર્ટની મંજૂરી બાદ લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે.

Share This Article