ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસની સખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ છે. ત્યારે ચાંદીપુરાના કારણે 73 દર્દીના મોત થયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 81 દર્દીઓ સાજા થયા છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઈટીસના કુલ-162 કેસો છે. જે પૈકી સાબરકાંઠા-16, અરવલ્લી-07, મહીસાગર-04, ખેડા-07, મહેસાણા-10, રાજકોટ-07, સુરેન્દ્રનગર-06, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર- 08, પંચમહાલ-16, જામનગ2-08, મોરબી-06, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-04, વડોદરા-09, નર્મદા-02, બનાસકાંઠા-07, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-02, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-05, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-04, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01, પોરબંદર- 01, પાટણ-01, ગીર સોમનાથ-01, અમરેલી-01 તેમજ ડાંગ-01 શંકાસ્પદ કેસો મળેલ છે.
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઈટીસના કુલ-162 કેસો પૈકી સાબરકાંઠા-05, અરવલ્લી-03, મહીસાગર-02, ખેડા-02, મહેસાણા-05, રાજકોટ-04, સુરેન્દ્રનગર-02, અમદાવાદ કોર્પોરેશન-06, ગાંધીનગર-03, પંચમહાલ-07, જામનગર-04, મોરબી-05, ગાંધીનગર કોર્પોરેશન-02, દાહોદ-03, વડોદરા-04, નર્મદા-01, બનાસકાંઠા-04, વડોદરા કોર્પોરેશન-01, દેવભૂમિ દ્વારકા-01, કચ્છ-04, સુરત કોર્પોરેશન-01, ભરૂચ-01, જામનગર કોર્પોરેશન-01, પાટણ-01 તેમજ ગીર સોમનાથ-01 એમ કુલ-73 દર્દીઓ મૃત્યુ પામેલ છે.
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 08 દર્દી દાખલ છે તથા 81 દર્દીઓને રજા આપેલ છે. રાજસ્થાનના કુલ-07 કેસો પૈકી 01 કેસ પોઝીટીવ મળેલ છે જેમાં-04 દર્દી દાખલ છે તેમજ-03 દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનાં -06 કેસો જેમાં -02 દર્દી દાખલ છે તેમજ -02 દર્દી મૃત્યુ પામેલ તથા-02 દર્દીને રજા આપેલ છે. તેમજ મહારાષ્ટ્રનો -01 કેસ જેમાં -01 દર્દી દાખલ છે.