Saturday, Sep 13, 2025

ગુજરાતના રાજ્યપાલને મળી નવી જવાબદારી, જાણો હવે શું કરશે?

1 Min Read

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હવે ગુજરાતની સાથે-સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. હકીકતમાં મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આચાર્ય દેવવ્રત ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની જવાબદારી સંભાળશે
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેની વધારાની જવાબદારી સોંપી છે. આ જવાબદારી તેમને મહારાષ્ટ્ર માટે નવા કાયમી રાજ્યપાલની નિયુક્તિ ન થાય ત્યાં સુધી સોંપવામાં આવી છે. આ નિર્ણય તત્કાળ અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

ગુજરાતના વીસમાં રાજ્યપાલ છે દેવવ્રત
આચાર્ય દેવવ્રત ગુજરાતના 20મા રાજ્યપાલ તરીકે 2019થી જવાબદારી સંભાળી રહ્યા છે. આ પહેલા 2015થી 2019 સુધી તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા.

ગુજરાતમાં 22 જુલાઈ, 2019ના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા, જેમને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નિમણૂક કરી હતી, જ્યારે રાજ્યપાલ તરીકે પણ પાંચ વર્ષથી વધુ સમય થયો છે. જેઓ ગુજરાતના પહેલા એવા રાજ્યપાલ છે, જેમણે સૌથી વધુ સમય તરીકે રાજ્યપાલ રહ્યા છે.

Share This Article