Wednesday, Mar 25, 2026

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2% વધારો મંજૂર

2 Min Read

કેન્દ્ર સરકારે બજેટ 2025 પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓને મોટા સમાચાર આપ્યા છે. વાસ્તવમાં, મોદી સરકારે 7 મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થો વધીને 2 ટકા થયો છે.

કેન્દ્રીય કર્મચારીઓ (DA Hik)અને પેન્શનરો લાંબા સમયથી આ રાહતની રાહ જોઈ રહ્યા હતા. જોકે, અત્યાર સુધી જ્યારે સંસદમાં આ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવતા હતા, ત્યારે સરકાર આવી કોઈ દરખાસ્ત ન આવવાની વાત કરતી જોવા મળતી હતી, પરંતુ હવે અચાનક સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આ ભેટ આપવાનો રસ્તો સાફ કરી દીધો છે.

આ વધારાની અસર પગાર પર સીધી જોવા મળશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂ. 50,000 હોય, તો તેને અત્યાર સુધી 53 ટકા એટલે રૂ. 26,500 મોંઘવારી ભથ્થા તરીકે મળતા હતા. હવે 55 ટકા દરે તેમને રૂ. 27,500 મળશે, એટલે કે મહિને રૂ. 1,000નો વધારો થશે. એ જ રીતે, રૂ. 70,000ના મૂળ પગાર પર ભથ્થું રૂ. 1,400 વધશે, જ્યારે રૂ. 1,00,000ના મૂળ પગાર પર મહિને રૂ. 2,000નો વધારો થશે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળશે.

સરકારે માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. આવા કિસ્સામાં, બે મહિનાના બાકી પગારને એકસાથે ઉમેરીને માર્ચ મહિનાના પગાર સાથે આપવામાં આવશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની સાથે, માર્ચ મહિનાનો મોંઘવારી ભથ્થું પણ પગારમાં ઉમેરીને કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવશે. જો કોઈપણ કેન્દ્ર સરકારી કર્મચારીનો મૂળ પગાર 19,000 રૂપિયા હોય, તો તેને મોંઘવારી ભથ્થા તરીકે 10,070 રૂપિયા મળશે. હવે 2 ટકાના વધારા બાદ આ ભથ્થું 10,450 રૂપિયા થઈ ગયું છે.

Share This Article