Thursday, Oct 23, 2025

દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, અનેક લોકો દટાયેલા હોવાની આશંકા, 6 લોકોનું રેસ્ક્યુ

2 Min Read

સીલમપુર વિસ્તારમાં એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ બિલ્ડિંગના કાટમાળમાં ઓછામાં ઓછા 12 લોકો દટાયેલા હોવાની આશંકા છે. આ પહેલાં દિલ્હીના મુસ્તફાબાદમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. હાલ તો ઈમારત કયા કારણસર ધરાશાયી થઈ, એ સ્પષ્ટ થયું નથી, અત્યાર સુધીમાં પાંચ લોકોને બચાવી લેવાયા છે અને રાહત કાર્ય હજુ ચાલુ છે.

ઇમારત ખૂબ જ જર્જરિત દુર્ઘટના બની હોવાનું અનુમાન
હાલમાં ઘટનાસ્થળે 7 ફાયર એન્જિન અને પોલીસ ટીમો બચાવ અને રાહત કાર્યમાં કરી રહી છે. આ ઇમારત ખૂબ જ જર્જરિત હતી, જેના કારણે આ અકસ્માત થયો હોવાની પ્રાથમિકા માહિતી મળી છે. હાલમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોના રાહત અને બચાવ કાર્યમાં સ્થાનિક લોકો કાટમાળ દૂર કરવામાં મદદ કરી રહ્યા છે. સીલમપુરમાં ગ્રાઉન્ડ પ્લસ થ્રી ઇમારત ધરાશાયી થયા બાદ સ્થાનિક લોકો કાટમાળ સાફ કરવામાં મદદ કરી રહ્યા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે કામગીરી કરી રહી છે અત્યાર સુઘીમાં જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી.

આ પહેલાં જૂની દિલ્હીના સદર બજારના મીઠાઈ પુલ વિસ્તારમાં ગુરુવાર અને શુક્રવારની વચ્ચે રાત્રે લગભગ બે વાગ્યે ત્રણ ઈમારતો ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના જનકપુરી પશ્ચિમથી આર.કે. આશ્રમ માર્ગ સુધી બની રહેલી મેટ્રોની નવી ટનલના નજીકમાં બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને (DMRCએ) ઘટનાને ગંભીરતાથી લઈ મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય રકમ આપવાનું જાહેર કર્યું હતું.

Share This Article