Thursday, Oct 23, 2025

રાજકોટમાં ચાર પાકિસ્તાની નાગરિકોની ધરપકડ, બે દાયકાથી ગેરકાયદેસર વસવાટ

1 Min Read

રાજકોટ જિલ્લામાંથી ચાર પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે. વર્ષો પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પરત પાકિસ્તાન ન ફર્યા હોવાનું સામે આવ્યું છે. લગભગ બે દાયકા કરતા વધુ સમયથી તેઓ ગેરકાયદે રાજકોટમાં રહેતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે લોધીકા તાલુકામાં રહેતા એક સગીર સહિત ચાર પાકિસ્તાનીઓને લાવી પૂછપરછ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં હાલમાં લોંગ ટર્મ વિઝા ઉપર 752 પાકિસ્તાની નાગરિકો રહે છે. જેમાંથી 738 હિન્દુઓ છે. આ તમામ પાકિસ્તાની નાગરિકો સ્ટુડન્ટ વિઝા, નોકરી અને લગ્ન સહિતના કારણોસર આવેલા છે.

શોર્ટ ટર્મ વિઝા ઉપર આવેલા પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે. લોંગ ટર્મ વિઝા પર આવેલા નાગરિકો માટે હજૂ સુધી કોઈ આદેશ થયો નથી. રાજકોટમાં એક બાંગ્લાદેશી નાગરિક પણ લોંગ ટર્મ વિઝા ઉપર રહે છે. પહેલગામના ત્રાસવાદી હૂમલા પછી દેશભરમાં ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશી નાગરિકોને શોધીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેના પગલે રાજકોટ પોલીસ પણ છેલ્લા ઘણા દિવસોથી ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશી નાગરિકોને શોધી રહી છે. અત્યાર સુધીમાં આવા 13 બાંગ્લાદેશી નાગરિકો શોધી કાઢવામાં આવ્યા છે. આમ છતાં વધુ કોઈ બાંગ્લાદેશી નાગરિકો રાજકોટમાં રહી રહ્યા છે કે કેમ તે અંગે એસઓજી અને સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે.

Share This Article