ભારતના પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને વૈશ્વિક સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રીમંડળની નિમણૂક સમિતિએ તેમને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)માં એક્ઝિકયુટિવ ડિરેક્ટર તરીકે ત્રણ વર્ષ માટે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે.
ઉર્જિત પટેલે 5 સપ્ટેમ્બર, 2016ના રોજ RBIના 24મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે ડૉ. રઘુરામ રાજનનું સ્થાન લીધું હતું. પરંતુ ડિસેમ્બર 2018માં તેમણે વ્યક્તિગત કારણોસર ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ શક્તિકાંત દાસને સેન્ટ્રલ બેંકની જવાબદારી સોંપવામાં આવી હતી.પટેલે માત્ર ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. જાન્યુઆરી 2022માં તેઓ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત થયા હતા. તે ઉપરાંત તેમણે અગાઉ IMF, Boston Consulting Group તથા Reliance Industries સાથે પણ કામ કર્યું છે.
1998 થી 2001 સુધી, તેઓ ભારત સરકારના નાણાં મંત્રાલયમાં સલાહકાર હતા. આ ઉપરાંત તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, IDFC, MCX અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જેવી કંપનીઓમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી. તેમના અનુભવ તેમને વૈશ્વિક મંચ પર ભારતનો મજબૂત અવાજ બનવામાં મદદ કરે છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, IDFC, MCX અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જેવી કંપનીઓમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી. તેમના અનુભવ તેમને વૈશ્વિક મંચ પર ભારતનો મજબૂત અવાજ બનવામાં મદદ કરે છે.જરાતી મૂળના ઉર્જિત પટેલનો જન્મ 28 ઓક્ટોબર, 1963ના રોજ કેન્યામાં થયો હતો. તેમનું પૈતૃક ગામ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું છે. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ કેન્યામાં મેળવ્યું હતું. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ વિદેશ ગયા હતા અને તેમણે:લંડન યુનિવર્સિટીમાંથી B.Sc. (Economics)ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી M.Phil (Economics)યેલ યુનિવર્સિટીમાંથી Ph.D. (Economics) કર્યું છે.1990 થી 1992 દરમ્યાન તેમણે IMFમાં અમેરિકા, મ્યાનમાર, ભારત અને બહામાસ માટે અર્થશાસ્ત્રી તરીકે કાર્ય કર્યું હતું.
આ નિયુક્તિ સાથે ઉર્જિત પટેલ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય નાણાકીય જગતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને વૈશ્વિક આર્થિક નીતિ નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા છે.