અડધો દેશમાં જળપ્રલયથી તબાહી. ઉત્તરાખંડ, પ.બંગાળ, બિહારમાં જળપ્રલય. યુપી અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી મુશ્કેલી. ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં મૂશળધાર વરસાદ. વરસાદથી ખેતરો, રહેણાંક વિસ્તારોમાં પૂરની સ્થિતિ. પહાડી રાજ્યોમાં પણ વરસાદથી તબાહી . ઉત્તરાખંડમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદે તબાહી મચાવતા ૧૨ લોકોના મોત નીપજ્યા છે. હજુ અનેક લોકો ગુમ હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.

બીજી તરફ, મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઇમાં ૧૨ ઇંચ વરસાદના કારણે લોકલ ટ્રેન સેવાને અસર થઇ હતી. મુંબઈ અને થાણે સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદના કારણે અનેક રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા હતા. દાદર રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા.આઝાદનગર મેટ્રો સ્ટેશન બહાર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ છે. વિદ્યાવિહાર, ડોમ્બિવલી, બોરીવલીમાં પાણી ભરાયા હતા. અંધેરી, કિંગ સર્કલ, પરેલ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા હતા.
મહત્વનું છે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ થતા કોસી, મહાનંદા, બાગમતી, ગંડક, કમલા બાલન અને કમલા સહિતની મુખ્ય નદીઓ ઘણી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેને લઇને તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે કે આવી સ્થિતિમાં નદી કાંઠાના વિસ્તારો એલર્ટ રહે. સીતામઢી, મુઝફ્ફરપુર, શિયોહર, ઔરાઈ, સુપ્પી અને અન્ય નજીકના વિસ્તારોમાં બાગમતી નદીનું જળ સ્તર ખતરાના નિશાન પર પહોંચી ગયું છે. રવિવારે સવારે ૮ વાગ્યે સીતામઢી અને સુપ્પીમાં બાગમતી નદીનું જળસ્તર ૭૧.૧૬ મીટર હતું.
આ પણ વાંચો :-