HomeInternationalગાઝા હુમલામાં અલ જઝીરા ન્યૂઝ ચેનલના પાંચ પત્રકારોનાં મોત

ગાઝા હુમલામાં અલ જઝીરા ન્યૂઝ ચેનલના પાંચ પત્રકારોનાં મોત

Date:

Related stories

ભારે કરી! મૃત માનેલી મહિલા સુરતમાં મળી જીવિત

ઝારખંડમાં જે મહિલાને મૃત માની તેની હત્યા અને લાશ...

VIDEO:માછલીની જેમ તરે છે આ રોબોટ! જાણો આ ચીનની ટેક્નોલોજીનું રહસ્ય

પાણીમાં તરતી આ માછલીને પહેલી નજરે જોઈને તમને પણ...

video : ન્યૂયોર્કમાં ટ્રેનની અડફેટે ભારતીય મૂળની યુવતી અને મિત્રનાં મોત

ન્યૂયોર્કના લોઅર મેનહટનની સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન પર એક...

મુંબઈ ઘાટકોપરના ભાજપના કરોડપતિ ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા નીકળ્યા!

મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક...

16 સપ્ટેમ્બરનું રાશિફળ: કોનું ભાગ્ય ચમકશે? જાણો મેષથી મીન સુધી 12 રાશિનું ભવિષ્યફળ

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ (Rashifal)...
spot_img

ઇઝરાયેલ સતત ગાઝા પટ્ટી પર હુમલો કરી રહ્યું છે. ઇઝરાયેલી હુમલામાં અલ જઝીરા ન્યૂઝ ચેનલના પાંચ પત્રકારો માર્યા ગયા હોવાની પુષ્ટિ ખુદ અલ જઝીરાએ કરી છે. ગાઝા શહેરના અલ-શિફા હોસ્પિટલની નજીક ઇઝરાયેલી હુમલામાં આ પાંચ પત્રકારો માર્યા ગયા હતા.

મૃત પત્રકારોમાં અલ જઝીરાના સંવાદદાતા અનસ અલ-શરીફ અને મહમ્મદ કારીકેહ તેમ જ કેમેરામેન ઇબ્રાહિમ જહીર, મોઆમેન અલીવા અને મહમ્મદ નૌફલનો સમાવેશ થાય છે. અલ જઝીરાએ જણાવ્યું કે તેઓ અલ-શિફા હોસ્પિટલના મુખ્ય દરવાજાની બહાર પ્રેસ માટે લગાવેલા એક તંબુમાં રહેતા હતા. ઇઝરાયેલી સેનાએ એ જ તંબુને નિશાન બનાવી હુમલો કર્યો હતો અને પાંચ પત્રકારોને મારી નાખ્યા હતા.

પત્રકાર હોવાનું નાટક કરત હતાઃ

ઇઝરાયેલઆ હુમલા બાદ તરત જ ઇઝરાયેલી સેનાએ એક નિવેદનમાં અનસ અલ-શરીફને નિશાન બનાવ્યાની વાત સ્વીકારી હતી. એ સાથે જ ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો કે અલ-શરીફ પત્રકાર હોવાનું નાટક કરતો હતો અને તે હમાસ સાથે હતો. ઇઝરાયેલે અલ જઝીરાના પત્રકારને આતંકવાદી જાહેર કરતાં કહ્યું હતું કે તે હમાસની એક આતંકવાદી સેલનો વડો હતો.

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ જણાવ્યું હતું કે હમાસ આતંકવાદી અનસ અલ-શરીફ, જે પોતાને અલ જઝીરાનો પત્રકાર કહેતો હતો, હમાસના એક આતંકવાદી જૂથનો વડો હતો અને તેણે ઇઝરાયેલી નાગરિકો અને IDF સૈનિકો પર રોકેટ હુમલા કર્યા હતા.

Subscribe

Latest stories

spot_img