Tuesday, Mar 31, 2026

મહાકુંભમાં ફરી આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

1 Min Read

મહાકુંભમાં ફરી એકવાર આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આ વખતે સેક્ટર 8માં અનેક પંડાલ બળીને રાખ થઈ ગયા હતા. જોકે ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હોવાની જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં 30 દિવસમાં આગની આ 5મી ઘટના હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 15 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આગ ભડકી હતી અને ત્યારે સેક્ટર 18 અને 19માં અનેક પંડાલ તેની લપેટમાં આવી ગયા હતા. જ્યારે 7 ફેબ્રુઆરીએ પણ શંકરાચાર્ય માર્ગ પર સંત હરિહરાનંદના પંડાલમાં આગની ઘટના બની હતી.

મહાકુંભ મેલામાં આગ લાગવાની પહેલાની ઘટનાઓ પણ નોંધાવાઇ છે. આ વર્ષે, મહાકુંભના આરંભના 7મા દિવસે, 3 ફેબ્રુઆરીએ, સેક્ટર 19 માં આગ લાગી હતી. આ આગથી ઘણા તંબુ બળીને નષ્ટ થઈ ગયા અને ઘણા સિલિન્ડર ફાટ્યા. એ પછી, 9 ફેબ્રુઆરીના રોજ, સેક્ટર 9ના કલ્પવાસીઓના તંબુમાં સિલિન્ડર લીકેજના કારણે આગ લાગી હતી. આ સિલિન્ડર લીકેજનું કારણે આગ ખુબ જ ઝડપથી ફેલાઈ હતી.

Share This Article