Friday, Oct 24, 2025

ખેડૂતોનો વિરોધ ફરી શરુ થશે, શંભુ બોર્ડર ખુલવાની સાથે જ દિલ્હી તરફ કુચ

2 Min Read

ચંડીગઢમાં પડતર માંગો અંગે ખેડૂતો ફરી દિલ્હી તરફ કુચ કરશે, સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ મંગળવારે ચંડીગઢના કિસાન ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં આગામી વ્યૂહરચના જાહેર કરી. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે શંભુ બોર્ડર ખુલતાની સાથે જ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. તેણે કહ્યું કે અમને સામાન ભેગો કરવામાં થોડો સમય લાગશે, તે પછી અમે દિલ્હી તરફ રવાના થઈશું.

Indian police use tear gas to halt farmers' protest march to New Delhi

જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું, “હાઈકોર્ટે હાઈવે ખોલવાનો નિર્ણય આપ્યો. અમારા એક સાથી નવદીપ જલબેડા મુક્તિની માંગ સાથે ૧૭ થી ૧૮ જુલાઈ સુધી અંબાલામાં SSP ઑફિસનો ઘેરાવ કરવામાં આવશે. શુભકરણના મૃત્યુની તપાસ હરિયાણા સરકારના IPS અધિકારીને સોંપવામાં આવી છે. હરિયાણા સરકાર પહેલા જ સુપ્રીમ કોર્ટમાં કહી ચૂકી છે કે આ કેસની તપાસથી પોલીસનું મનોબળ તૂટી શકે છે અને ભવિષ્યમાં પોલીસ કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવશે. હવે એ જ હરિયાણા સરકારના પોલીસ અધિકારીને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે, અમને ન્યાયની કોઈ આશા નથી, તેથી હાઈકોર્ટે તેના પર પુનર્વિચાર કરવો જોઈએ.

આ દરમિયાન હરિયાણાના ખેડૂત નેતા અભિમન્યુ કોહરે ખેડૂતોના આંદોલન દરમિયાન ખેડૂતો પર કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીનો વીડિયો બતાવ્યો. તેમણે કહ્યું, “પોલીસે ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો. અમારી પાસે વીડિયોમાં આના સ્પષ્ટ પુરાવા છે. ૨૨ જુલાઈના રોજ દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબમાં દેશભરના ખેડૂત સંગઠનોની બેઠક મળશે. અમે અમારું મેમોરેન્ડમ પહેલેથી જ આપી દીધું છે. અમે અમારી માંગણીઓને અંગે વિપક્ષના તમામ સાંસદો સાથે પણ વાતચીત કરીશું. રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી નેતાઓને પત્ર લખીને આગામી સંસદ સત્રમાં પ્રાઈવેટ મેમ્બર બિલ લાવવા માટે કહેવામાં આવ્યું છે અને બીજેપી સાંસદો સિવાય અન્ય સાંસદો પાસેથી પણ સમય માંગવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article