Friday, Oct 24, 2025

સુરતમાં ટ્રેન ઉથલાવાનું નિષ્ફળ પ્રયાસ

2 Min Read

સુરત માથેથી મોટી ઘાત ટળી છે. ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. કીમ-કોસંબા વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર ટ્રેનને ઉથલાવી પાડવાનો પ્રયાસ કરાયો છે. ટ્રેક પર જોગલ ફિશર પ્લેટ ખોલીને મૂકવામાં આવી હતી. ડાઉન ટ્રેક પરથી આ પ્લેટ ખોલીને અપટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. આ ડાઉન ટ્રેક પ્લેટ યુપી લાઈન ટ્રેક પરથી ખોલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ,રેલવેના અધિકારીઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટ્રેનની અવરજવર બંધ કરવામાં આવી હતી.

સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું, રેલવે સ્ટાફની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ટળી 1 - image

પશ્વિમ રેલવે, વડોદરા ડિવીઝનને શનિવારે તેનો એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા લોકોને કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મૂકી દીધી હતી, ત્યારબાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી. જોકે ઝડપથી જ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવી હતી.

રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના રામપુરથી લગભગ 43 કિલોમીટર દૂર રૂદ્રપુર સિટી રેલવે સ્ટેશન પાસે સર્જાઇ હતી. રૂદ્રપુર સિટી સેક્શનના રેલવે એન્જીનિયર રાજેન્દ્ર કુમારને ફરિયાદ પર રામપુરના રાજકીય રેલવે પોલીસ મથકમાં એક અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article