સુરત શહેરમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જમાલ અંસારી સામે ખંડણીનો ગુનો નોંધાયો છે. વોર્ડ નંબર 18ના પૂર્વ પ્રમુખ જમાલ અંસારી પર બાંધકામ તોડાવાની ધમકી આપીને ખંડણી વસૂલવાનો ગંભીર આરોપ છે. ફરિયાદ અનુસાર, અંસારીએ મનપામાં અરજી કરીને 2 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આરોપ છે કે અરજી કર્યા બાદ બાંધકામ તોડાવીને 98 હજાર રૂપિયાની રકમ પડાવવામાં આવી હતી. નોંધનીય છે કે જમાલ અંસારીએની પત્નીએ વર્ષ 2020માં કોર્પોરેશનનું ઈલેક્શન લડ્યું હતું. હાલ પોલીસએ પૂર્વ પ્રમુખ જમાલ અંસારીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આ સમગ્ર પ્રકરણમાં અન્ય સંકળાયેલા લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
સુરતમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જમાલ અંસારી વિરુદ્ધ ખંડણીનો ગુનો દાખલ