ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકર SCO પરિષદની 23મી બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચ્યા છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે 9 વર્ષ બાદ કોઈ ભારતીય વિદેશ મંત્રી પ્રથમ વખત પાકિસ્તાન પહોંચ્યા છે. ભારતીય વિદેશ મંત્રીની આ મુલાકાત ઘણી મહત્ત્વપૂર્ણ છે. તેમણે હાલમાં જ કહ્યું હતું કે, કોઈપણ પાડોશી દેશની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે વધુ સારા સંબંધો ઈચ્છે છે. પરંતુ, સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરીને આ કરી શકાય નહીં.

પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ ડિનરનું આયોજન કરશે અને તેની સાથે જ SCO સમિટ શરૂ થશે. છેલ્લા ઘણા સમયથી બંને પાડોશી દેશોના સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત તરફથી પાકિસ્તાનની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.
મહત્ત્વપૂર્ણ છે કે, બંને પક્ષોએ SCO સરકારના વડાઓની સમિટ સિવાય ડૉ. જયશંકર અને તેમના પાકિસ્તાની સમકક્ષ ઇશાક ડાર વચ્ચે કોઈપણ દ્વિપક્ષીય વાતચીતનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાનની મુલાકાત લેનાર ભારતના છેલ્લા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હતા. તે અફઘાનિસ્તાન પર યોજાયેલી એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ડિસેમ્બર 2015માં ઈસ્લામાબાદ ગયા હતા. પાકિસ્તાને ઓગસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને SCO સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચો :-