એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે નેશનલ હેરાલ્ડ કેસમાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની રૂ.700 કરોડથી વધુની સંપત્તિનો કબજો લેવાની કાર્યવાહી શરૂ કરી છે, આ કંપની કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે જોડાયેલી છે. આ સંપત્તિમાં દિલ્હી, મુંબઈ અને લખનૌમાં આવેલી મુખ્ય મિલકતોનો સમાવેશ થાય છે જેમાં મુખ્યત્વે રાષ્ટ્રીય રાજધાનીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પરનું આઇકોનિક હેરાલ્ડ હાઉસ છે.
EDની તપાસમાં જાણવા મળ્યું કે, આ કેસમાં લગભગ 988 કરોડ રૂપિયાનું કાળું નાણું કમાયું હતું. જેના કારણે 20 નવેમ્બર, 2023 ના દિવસે AJLની સંપત્તિ અને શેર જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત લગભગ 751 કરોડ રૂપિયા છે. આ કાર્યવાહી હવે 10 એપ્રિલના દિવસે કોર્ટ દ્વારા મંજૂર થઈ ગઈ છે. નવેમ્બર 2023 માં, ED એ દિલ્હી, મુંબઈ અને લખનૌમાં 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો તેમજ 90.2 કરોડ રૂપિયાના AJL શેરને કામચલાઉ રીતે જપ્ત કર્યા હતા.
AJL, જે નેશનલ હેરાલ્ડ પ્રકાશિત કરે છે, તે યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડની માલિકીની છે જેમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પ્રત્યેક 38% હિસ્સો ધરાવે છે, જે તેમને બહુમતી શેરધારકો બનાવે છે. યંગ ઈન્ડિયન અને AJL પ્રોપર્ટીનો ઉપયોગ 18 કરોડ રૂપિયાના બોગસ દાન, 38 કરોડ રૂપિયાના બોગસ એડવાન્સ ભાડા અને 29 કરોડ રૂપિયાની બોગસ જાહેરાતોના રૂપમાં ગુનાની આગળની આવક માટે કરવામાં આવ્યો હતો તેમ EDએ આક્ષેપ કર્યો હતો.