આજે સવારે હિમાચલ પ્રદેશમાં ભૂકંપના જોરદાર આંચકાથી ગભરાટ ફેલાયો હતો. મંડી શહેરમાં ભૂકંપ આવ્યો અને એક બાદ એક 3 જોરદાર આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી હતી, પરંતુ સવારે લગભગ 2:30 વાગ્યે આવેલા આ ભૂકંપથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે ઘરની બહાર બેસી રહ્યા. સવાર સુધી લોકો રસ્તાઓ પર રહ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ ભૂકંપની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 5 કિલોમીટરની ઊંડાઈએ મળ્યું હતું. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ હિમાચલનો મંડી જિલ્લો ભૂકંપની વૃષ્ટિએ અતિ સંવેદનશીલ શહેરો ઝોન-5માં આવે છે, એટલે અહીંના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. નાના ભૂકંપ એ મોટા ભૂકંપ આવવાની નિશાની હોઈ શકે છે.
- ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
- ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
- જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
- જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
- ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
- ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
- ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
- જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
- ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
- ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.
આ પણ વાંચો :-