મહિસાગર જિલ્લામાં બુધવારની સવાર અચાનક દહેશતભરી બની ગઈ જ્યારે કડાણા નજીક ભૂકંપના આંચકા અનુભવાયા. આજે સવારે લગભગ 10 વાગ્યાના સમયે 3.5 તીવ્રતાના આંચકા મહિસાગર જિલ્લામાં નોંધાયા હતા. જો કે કોઈ જાનહાનિ કે માલહાનિ નોંધાઈ નથી, પરંતુ લોકોમાં થોડીક ઘભરાહટ જોવા મળી હતી.
ભૂકંપની તીવ્રતા ભલે ઓછી રહી હોય, પણ લોકો પોતાનાં ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ખાસ કરીને કડાણા અને આસપાસના ગામોમાં ધ્રુજારીનો અહેસાસ થયોઃ લોકો ઘરોની દીવાલો કાંપતી અનુભવી રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિન્દુ રાજસ્થાન રાજ્યની અંદર નોંધાયું છે, જે મહિસાગરથી ખાસું નજીક આવેલું છે. આથી તીવ્રતા ઓછી હોવા છતાં તેની અસર ગુજરાતના કડાણા વિસ્તારમાં પણ મહેસૂસ થઈ.
કેટલું તીવ્ર, કેટલું જોખમી?
ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
- ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
- જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
- જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
- ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
- ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
- ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
- જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
- ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
- ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.