ભારતમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સિક્કિમમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સિક્કિમના સોરેંગમાં સવારે 6.57 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આ વી છે. હાલમાં આ ભૂકંપમાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તેઓએ ભૂકંપનો આંચકો સ્પષ્ટપણે અનુભવ્યો હતો. તેના ઘરની વસ્તુઓ ધ્રૂજવા લાગી. ભૂકંપના આંચકા અનુભવતા જ તેઓ ઘરની બહાર દોડવા લાગ્યા હતા. લોકો રસ્તા પર આવી ગયા. ભૂકંપના કારણે કેટલાક લોકો જાગી ગયા હતા. હાલમાં હજુ સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે, તેનું કેન્દ્ર જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યુશુના પૂર્વ કિનારે લગભગ 30 કિલોમીટર (18.6 માઇલ) ની ઊંડાઈ પર હતું. ક્યૂશુ ટાપુના મિયાઝાકી પ્રાંતના નિચિનાન શહેર અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના સૌથી મજબૂત આંચકા અનુભવાયા હતા. આના બે દિવસ પહેલા નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
- ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
- ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
- જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
- જ્યારે ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
- ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
- ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
- ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
- જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
- ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
- ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.