જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તારમાં એક કરુણ ઘટના બની હતી. અહીં એક જૂનું જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતા દાદા અને તેમના પૌત્રનો દુઃખદ અંત આવ્યો. ઘટના એટલી અચાનક બની કે કોઈને સંભાળવાની તક મળી નહીં. મકાનનો આખો કાટમાળ સીધો તેમના પર પડ્યો, જેના કારણે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાટમાળ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. આવા જર્જરિત મકાનો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે.