HomeNationalપશ્ચિમ બંગાળમાં ચક્રવાતે મચાવી ભારે તબાહી, ૫ લોકોનાં મોત, ૧૦૦ ઘાયલ

પશ્ચિમ બંગાળમાં ચક્રવાતે મચાવી ભારે તબાહી, ૫ લોકોનાં મોત, ૧૦૦ ઘાયલ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અચાનક આવેલા વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો હતો. તોફાનના કારણે ચાર લોકોના મોત થયા છે, જ્યારે ૧૦૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોરદાર પવનને કારણે જિલ્લાના મુખ્ય મથક શહેર અને મૈનાગુરી જેવા આસપાસના વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે. આ વાવાઝોડામાં અનેક મકાનો, વૃક્ષો પણ ધરાશાયી થયા હતા અને વીજ થાંભલા પણ પડી ગયા હતા. અધિકારીઓનું કહેવું છે કે રાજારહાટ, બરનીશ, બકાલી, જોરપાકડી, માધબદંગા અને સપ્તીબારી વિસ્તાર આ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે પૂર્વ મધ્ય પ્રદેશ, દક્ષિણ આંધ્ર પ્રદેશ, ઉત્તરી અંતરિયાળ કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ અને તેલંગણાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત રવિવારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં મહત્તમ તાપમાન સરેરાશથી ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, કોંકણ, ગોવા, આસામ, મેઘાલયમાં પણ આજે આ જ સ્થિતિ જોવા મળી હતી.

બંગાળ ચક્રવાત અંગે મળતી માહિતી પ્રમાણે આ તોફાનના કારણે ૪૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે માહિતી માટે તમને જણાવી દઈએ કે ભારે વરસાદ અને તોફાન માત્ર પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં જોવા મળ્યું નથી, આ સિવાય આસામ, મિઝોરમ અને મણિપુરમાં પણ મુશળધાર વરસાદ થયો છે. આસામના ગુવાહાટીમાં આવેલા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ભારે વરસાદને કારણે ભારે નુકસાન થયું છે.

PM નરેન્દ્ર મોદીએ જલપાઈગુડીમાં ચક્રવાતી તોફાન અને અસરગ્રસ્ત પરિવારોને લઈને સોશિયલ મીડિયા સાઈટ X પર નિવેદન આપ્યું હતું. તેમણે લખ્યું, પશ્ચિમ બંગાળના જલપાઈગુડી-મૈનાગુરી વિસ્તારોમાં તોફાનથી પ્રભાવિત લોકો સાથે મારી સંવેદના છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. અધિકારીઓ સાથે વાત કરી અને ભારે વરસાદથી પ્રભાવિત લોકોને યોગ્ય સહાય સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. હું દરેકને અને ભાજપ બંગાળના કાર્યકરોને પણ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા વિનંતી કરું છું.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img