સુરત શહેરના લિંબાયતની એક સ્કૂલમાં અભ્યાસ કરતા બે બાળકો રાત્રીના સમયે પોતના ઘરે રમતા હતા. ત્યારે પાડોશમાં રહેતો મહેન્દ્ર અશોકભાઈ શાહ (ઉ.વ.૫૨)એ એકલતાનો લાભલઈને સગીરાને કેરેટ ઉપર બેસાડીને તેણીની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ગભરાયેલી આ સગીરાએ તાત્કાલીક પોતાના ઘરે જઈને માતાને સમગ્ર હકીકત કહેતા તેઓ ચોંકી ઉઠયા હતા.
બનાવ અંગે પરિવારની સાથે વાત કરીને મહેન્દ્રની સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને મહેન્દ્રની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિશાલ ફળદુએ દલીલો કરી હતી, જ્યારે ભોગનનારી સગીરા તરફે એડવોકેટ મનોજ પવાર દ્વારા દલીલો કરાઇ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ સંસ્કૃતના એક શ્લોકને ટાંકીને ચૂકાદો આપ્યો હતો કે, જ્યાં નારીઓની પૂજા અને સત્કાર થાય છે ત્યાં સદા ભગવાનની કૃપા રહે છે.
જ્યાં નારીઓના આદર, સત્કરા થતા નથી ત્યાં શુભકાર્યો પણ થતા નથી. સ્ત્રી અમૂલ્ય છે પરંતુ તે અલંકાર કે વસ્તુ નથી સ્ત્રી મનોરંજન કે ભોગવિલાસનું સાધન નથી. આરોપીએ બાળાના પાડોશી છે, અને તેમની જવાબદારી બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવું વાતાવરણ પુરુ પાડવાની છે. જો આરોપી દ્વારા આવું દુષ્કર્મ કરાઈ તો તેને છોડી દેવાઈ નહીં તેમ ટાંકીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા કરી હતી.