મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાએ તાજેતરમાં જ તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન કેરળના એક મંદિરમાં હિન્દુ વિધિ અનુસાર થયા હતા. જોકે, મોનાલિસાના પરિવારે આ લગ્નનો વિરોધ કર્યો હતો. મોનાલિસાએ તેના પરિવારની ઇચ્છા વિરુદ્ધ જઈને ફરમાન ખાન સાથે લગ્ન કર્યા. ફરમાન ખાન પર લવ જેહાદનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે, મોનાલિસા અને ફરમાન ખૂબ જ પરેશાન છે. તેણીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે જો સરકાર તેને ટેકો નહીં આપે તો તે આત્મહત્યા કરશે.
તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મોનાલિસાએ કહ્યું, “મારી પાસે ફક્ત એક જ વિકલ્પ બચ્યો છે. જો દિલ્હી સરકાર, મધ્યપ્રદેશ સરકાર અને કેરળ સરકાર અમને મદદ નહીં કરે, તો અમે બંને આત્મહત્યા કરીશું. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અમારા પોસ્ટરો ખુલ્લેઆમ સળગાવવામાં આવી રહ્યા છે. અમને કાપીને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.”
મોનાલિસાએ આગળ કહ્યું, “સનોજ મિશ્રા કહી રહ્યા છે કે મને મોનાલિસાનું નામ લેતા પણ શરમ આવે છે. મોનાલિસા મારી ફિલ્મનો ભાગ નહીં બને. જો કે મોનાલિસાએ કહ્યું કે હું પોતે તેનો ભાગ બનવા માંગતી નથી. કારણ કે તે ખૂબ જ ગંદી અને નીચ વ્યક્તિ છે, તેથી મને તેનું નામ લેતા પણ શરમ આવે છે.
ફરમાનએ કહ્યું, “હું આતંકવાદી નથી. હું એક નાનો કલાકાર છું. મારા પર ખોટા આરોપ મૂકવામાં આવી રહ્યા છે. મારું ગામ મને ઓળખે છે. હું બાળપણથી જ આર્ય સમાજમાં હતો. હું પૂજા કરતો હતો. બધા મને ઓળખે છે. મારી એકમાત્ર ભૂલ એ છે કે હું મુસ્લિમ પરિવારમાં જન્મ્યો હતો. તેથી જ લોકો મને ગલત સમજી રી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે. જો અમને કામ કરવાની મંજૂરી નહીં મળે, તો અમે આત્મહત્યા કરીશું. પૈસા વિના કેવી રીતે જીવીશું?”