Thursday, Oct 23, 2025

“કોંગ્રેસ રાજકીય લાભ માટે હિન્દુઓને વિભાજિત કરવા માંગે છે” પીએમ મોદી

1 Min Read

હરિયાણામાં ફરી સત્તા પ્રાપ્ત કર્યા બાદ હવે ભાજપની નજર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર ટકેલી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મહારાષ્ટ્રમાં ડિજિટલ માધ્યમ દ્વારા રૂ. 7,600 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસની ફોર્મ્યુલા ભાગલા પાડો અને રાજ કરો ની છે… કોંગ્રેસના ષડયંત્રોથી સાવધાન રહેવાની જરૂર છે. કોંગ્રેસે ખેડૂતોને ઉશ્કેર્યા હતા


વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ સંપૂર્ણ રીતે સાંપ્રદાયિક અને જાતિવાદ પર ચૂંટણી લડે છે. હિંદુ સમાજને તોડીને તેની જીતની ફોર્મ્યુલા બનાવે છે, આ કોંગ્રેસની રાજનીતિનો આધાર છે. કોંગ્રેસ સર્વજન હિતાય-સર્વજન સુખાયની ભારતની પરંપરાનું દમન કરી રહી છે. સનાતન પરંપરાનું દમન કરે છે.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની નીતિ છે કે હિંદુઓની એક જાતિને બીજી જાતિ સામે લડાવો…કોંગ્રેસ જાણે છે કે જેટલા હિંદુઓ વિભાજિત થશે, તેટલો તેને ફાયદો થશે. કોંગ્રેસ કોઈપણ રીતે હિંદુ સમાજમાં આગ ભડકતી રહે તેવું ઇચ્છે છે, જેથી જ્યાં પણ ભારતમાં ચૂંટણી થાય છે, કોંગ્રેસ એ જ ફોર્મ્યુલા લાગુ કરે છે.

આ પણ વાંચો :-

Share This Article