Thursday, Oct 23, 2025

આજથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનો થશે પ્રારંભ, રાહુલ અને સોનિયા ગાંધી સ્મારક પહોંચ્યા

2 Min Read

ગુજરાતમાં લગભગ 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઇ રહ્યું છે. અમદાવાદમાં આ અધિવેશન આજે 8 એપ્રિલ 2025 અને આવતી કાલે 9 એપ્રિલ 2025ના રોજ યોજાશે. અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસના મોટા નેતાઓનું અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે.

અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગે લેવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદમાં આવી ચૂક્યા છે ત્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે ત્રણેય દિગ્ગજ નેતા સરદાર સ્મારક પહોંચ્યા છે. આ ત્રણેય નેતાઓ સૌ પ્રથમ મ્યુઝિયમમાં જશે.

નોંધનીય છે કે, આ અધિવેશન દરમિયાન અનેક મુદ્દાઓ પર ખુલ્લામંચે ચર્ચાઓ કરવામાં આવશે. આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે પાંચ વાગ્યે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં સામેલ થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને ‘ન્યાય પથ’ નામ આપવામાં આવ્યું છે. જેમાં સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ ટેગલાઈન પણ આપવામાં આવી છે. અમદાવાદમાં અનેક જગ્યાએ આ અધિવેશનના પોસ્ટરો લાગેલા જોવા મળ્યા છે.

ગુજરાત સહિત 6 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી, વક્ફ (સંશોધન) બોર્ડ બિલ અંગે ચર્ચા, પ્રિયંકા ગાંધીને કોઈ મોટી જવાબદારી, રાષ્ટ્રીય કક્ષાએ ફરી કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવી વગેરે બાબતો પર આજે ચર્ચા થશે તેવું પાર્ટીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, બે દિવસીય અધિવેશન સાબરમતી નદીના કિનારે મળી રહ્યું છે. જેથી કોંગ્રેસ પાર્ટીએ સાબરમતી રિવરફ્રન્ટ નહીં પરંતુ સાબરમતી તટ એવું નામ આપ્યું છે. અધિવેશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજથી એટલે કે 11 વાગ્યાથી કોંગ્રેસનું મહાઅધિવેશન શરૂ થઈ જશે.

Share This Article