Sunday, Sep 14, 2025

પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 26 મુસાફરોની સંપૂર્ણ યાદી

2 Min Read

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગુસ્સો છે. લોકોની આંખો નામ છે. આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા. આતંકી હુમલા બાદ સેના પહલગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ છોડીને પરત ફર્યા હતા અને અહીં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત તમામ ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકો ક્યાંના હતા

ક્ર.મૃતકોનું નામરાજ્ય/શહેર
1શુભમ દ્વિવેદીઉત્તર પ્રદેશ
2સુશીલ નેથાનિયલમધ્ય પ્રદેશ
3નીરજ ઉધવાણીઉત્તરાખંડ
4યેન. રામચંદ્રકેરળ
5મુનિષ રંજનબિહાર
6દિનેશ અગ્રવાલચંદીગઢ
7દિલીપ દસાલીમહારાષ્ટ્ર
8બિટન અધિકારીકોલકાતા
9હેમંત સુહાસમુંબઈ
10સંજય લક્ષ્મણમુંબઈ
11વિનય નરવાલહરિયાણા
12અતુલ શ્રીકાંતથાણે
13પ્રશાંત સત્પથીઓડિશા
14સમીર ગુહારકોલકાતા
15દિલીપ દસાલીમુંબઈ
16જે.સચચંદ્રવિશાખાપટ્ટનમ
17M. સોમીસેટ્ટીબેંગ્લોર
18સંતોષમહારાષ્ટ્ર
19મંજુનાથ રાવકર્ણાટક
20કસ્તુરબા ગાન્વોટેમહારાષ્ટ્ર
21ભારત ભૂષણબેંગ્લોર
22સુમિતભાવનગર
23યતીશભાવનગર
24શૈલેષભાઈસુરત
25ટાગેહેલિંગઅરુણાચલ પ્રદેશ
26M. સોમીસેટ્ટીબેંગલુરુ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું, “ભારે હૃદય સાથે, હું પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને મારી અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારત આતંક સામે ઝુકશે નહીં. આ ઘાતકી આતંકવાદી હુમલાના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.”

મંગળવારે દક્ષિણ કાશ્મીરના પહલગામમાં એક મુખ્ય પર્યટન સ્થળ પર આતંકવાદીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. શાહ હુમલાના કલાકોમાં મંગળવારે રાત્રે અહીં પહોંચ્યા એ હતા અને પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાતે પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. ગૃહમંત્રીએ સુરક્ષા સમીક્ષા બેઠકની પણ અધ્યક્ષતા કરી હતી, જેમાં લેફ્ટનન્ટ ગવર્નર પણ હાજર હતા.

Share This Article