નવી દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP)નું વિરોધ પ્રદર્શન ફરી શરૂ થયું છે. ગઈકાલના હોબાળા બાદ આજે વહેલી સવારથી જ સમર્થકો ફરી એકત્ર થયા અને નવા મંચની વ્યવસ્થા ઊભી કરી.
પાર્ટીના નેતા અભિજીત દીપકેએ જણાવ્યું કે તેમનો વિરોધ યથાવત રહેશે અને આજે પણ સંસદ ભવન તરફ માર્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે સરકાર પર તેમની માંગણીઓની અવગણના કરવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
દિલ્હી કૂચના એલાન બાદ શંભુ બોર્ડર ફરી સીલ, સુરક્ષા કડક
ખેડૂતો દ્વારા દિલ્હી કૂચની જાહેરાત બાદ પંજાબ-હરિયાણાનું શંભુ બોર્ડર ફરી સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે. બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. ઘગ્ગર નદી પર આવેલા પુલ પર બેરિકેડ્સ અને સિમેન્ટના બ્લોક મૂકી ખેડૂતોની અવરજવર રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
મંગળવારે ખેડૂત સંગઠનોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને દિલ્હીના કિસાન ઘાટ ખાતે પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. આને ધ્યાનમાં રાખીને હરિયાણા પોલીસ અને વહીવટીતંત્રે સોમવાર રાત્રિથી જ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દીધી છે.
પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જંતર-મંતર અને સંસદ ભવન આસપાસ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અનેક સ્થળોએ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પરિસ્થિતિ પર પોલીસ સતત નજર રાખી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.