Sunday, Sep 14, 2025

રાહુલ ગાંધી પર ચિરાગ પાસવાનનો કટાક્ષ, કહ્યું કે એક આંગળી ઉઠાવો છો ત્યારે બાકીની…

3 Min Read

બુધવારે ઓમ બિરલાની બીજી વખત લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમને તેમને ખુરશી સુધી લઈ હતા. જ્યારે તેમને શુભેચ્છા આપવાનો વારો આવ્યો તો રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે બંધારણની સુરક્ષાની આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તમે વિપક્ષને તે કન્ટ્રોલમાં રાખો જ છો, પણ આશા રાખીએ કે તમે સત્તા પક્ષ પર પણ અંકુશ રાખશો. વિપક્ષ હવે પહેલાં કરતાં વધારે મજબૂત છે. જો સરકાર દેશની જનતાનો અવાજ છે તો વિપક્ષ પણ જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તમે બંધારણની રક્ષા કરશો અને વિપક્ષને પણ મોકો આપવામાં આવશે.

Chirag Paswan Reply to Rahul Gandhi Akhilesh Yadav

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પોતાના આ ભાષણથી સરકાર અને સ્પીકર બંને પણ નિશાનો સાધ્યો હતો. પરંતુ હવે મોદીના હનુમાન તરીકે ઓળખાતા લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસના ચિરાગ પાસવાનએ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને કડકડતો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે જો તમે કોઈ સામે એક આંગલી ચીંધો છો તો તમારી સામે પર ચાર આંગળીઓ ઉઠે છે.

લોકસભાના અધ્યક્ષની પસંદગી બાદ શાસક પક્ષ અને વિરોધ પક્ષના નેતાઓએ ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન સૌથી પહેલા વડાપ્રધાન મોદીએ ઓમ બિરલાને બીજી વખત અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તે પછી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ પોતાના ભાષણ દ્વારા સ્પીકર અને એક રીતે સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. પછી વારો આવ્યો ચિરાગ પાસવાનનો, જે પોતાને વડાપ્રધાન મોદીના હનુમાન પણ કહે છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે જ્યારે તમે કોઈની તરફ એક આંગળી ચીંધો છો તો બાકીની ચાર આંગળીઓ તમારી તરફ ઈશારો કરે છે. ચિરાગ પાસવાને કહ્યું, ‘ઘણી વખત જ્યારે વિપક્ષ દ્વારા ઘણી વાતો કહેવામાં આવે છે, ત્યારે હું કહીશ કે જ્યારે તમે કોઈની તરફ એક આંગળી ચીંધો છો, તો બાકીની આંગળીઓ તમારી તરફ ઈશારો કરે છે.

ચિરાગ પાસવાનનું આ નિવેદન રાહુલ ગાંધી અને અખિલેશના સંબોધન પછી સામે આવ્યું. પોતાના નિવેદનમાં ચિરાગ પાસવાને રાહુલ ગાંધીની એ માંગ તરફ ઈશારો કર્યો હતો જેમાં તેમણે સરકાર પાસેથી ડેપ્યુટી સ્પીકરનું પદ માંગ્યું હતું. સ્પીકર પદ માટે ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ સરકાર પાસે ડેપ્યુટી સ્પીકર પદની માંગણી કરી હતી. ચિરાગે આ જ સંદર્ભમાં ગૃહમાં આ વાત કહી હતી. આ સાથે જ તેમણે પોતાના સંબોધનમાં અખિલેશનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article