Thursday, Oct 23, 2025

જયપુરમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માના કાફલાને નડ્યો અકસ્માત

1 Min Read

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો કાફલો બુધવારે બપોરે જયપુરમાં ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હતો. આ દુર્ઘટનામાં કાફલામાં તૈનાત સુરક્ષાકર્મીઓ સહિત કુલ 9 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામને તરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંમાંથી 2 લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને ICU માં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ટ્રાફિક પોલીસને ખાસ સૂચના આપી હતી કે તેમના કાફલાની અવર-જવર દરમિયાન સામાન્ય લોકોને અવરોધ ન થાય. આ આદેશના પાલન દરમિયાન, એક રોંગ સાઈડથી આવતી કાર તેમના કાફલામાં ઘુસી ગઈ હતી.

આ અકસ્માતમાં કાફલાના સુરક્ષાકર્મીઓના વાહનને ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે વાહન રોડ ડિવાઈડર સાથે અથડાયું હતું. આ સમગ્ર ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે, જેમાં 5 સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઘાયલ સુરક્ષાકર્મીઓમાંથી 2 ની હાલત ખૂબ નાજુક હોવાથી તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article