HomeNationalછત્તીસગઢ : નક્સલ વિરોધી અભિયાનમાં ગુજરાતનો જવાન શહીદ, એક આતંકી ઠાર

છત્તીસગઢ : નક્સલ વિરોધી અભિયાનમાં ગુજરાતનો જવાન શહીદ, એક આતંકી ઠાર

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે માઓવાદી વિરોધી કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણમાં સીઆરપીએફના કોબ્રા યુનિટની 210મી બટાલિયનના બહાદુર જવાન કોન્સ્ટેબલ સોલંકી મેહુલભાઈ નંદલાલ શહીદ થયા હતા. આ ઉપરાંત, સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં એક નક્સલવાદીને ઠાર માર્યો હતો અને તેની પાસેથી એક હથિયાર પણ જપ્ત કર્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી જિલ્લાના ઉસૂર પોલીસ સ્ટેશન હેઠળના તુમરેલ વિસ્તારમાં ચાલી રહી છે, જેમાં સીઆરપીએફની કોબ્રા યુનિટ, છત્તીસગઢ પોલીસની ડીઆરજી અને એસટીએફના જવાનો જોડાયેલા છે. અથડામણ દરમિયાન એક કોબ્રા કમાન્ડો ઘાયલ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે. શહીદ થયેલા કોન્સ્ટેબલ સોલંકી મેહુલભાઈ નંદલાલ ગુજરાતના ભાવનગરના સિહોરના દેવગાણા ગામ વતની હોવાની વિગતો છે.

Subscribe

Latest stories

spot_img