મહારાષ્ટ્રના નાગપુરમાં ગત સોમવારે ઔરંગઝેબની કબરને હટાવવાને લઈને ફાટી નીકળેલી હિંસામાં માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તેના ઘરનો ગેરકાયદેસર ભાગ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો છે. આ ઘર 86.48 ચોરસ મીટરમાં બનેલ છે. ફહીમની મોમીનપુરા વિસ્તારમાં બુરખાની દુકાન છે.
નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું. સવારે બુલડોઝર સાથે પહોંચેલી ટીમે આ કાર્યવાહી હાથ ધરી, જે દરમિયાન મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ફહીમ ખાન, જે વ્યવસાયે બુરખા વેચે છે, તેના પર આરોપ છે કે તેણે ઉશ્કેરણીજનક વીડિયો અને નિવેદનો ફેલાવીને લોકોને ભડકાવ્યા, જેના પરિણામે શહેરમાં હોબાળો મચી ગયો.
પોલીસના જણાવ્યા મુજબ, આ હિંસાનો મુખ્ય સૂત્રધાર ફહીમ ખાન નામનો વ્યક્તિ હતો, જેનું ઘર આજે, 24 માર્ચ 2025ના રોજ, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું. સવારે બુલડોઝર સાથે પહોંચેલી ટીમે આ કાર્યવાહી હાથ ધરી, જે દરમિયાન મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ફહીમ ખાન, જે વ્યવસાયે બુરખા વેચે છે, તેના પર આરોપ છે કે તેણે ઉશ્કેરણીજનક વીડિયો અને નિવેદનો ફેલાવીને લોકોને ભડકાવ્યા, જેના પરિણામે શહેરમાં હોબાળો મચી ગયો.
મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાએ તેમને જાતે જ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો જે પૂર્ણ થઈ ગયો છે પરંતુ તેમણે બાંધકામ હટાવ્યું ન હતું. આ પછી હવે ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી રહી છે જ્યારે 17 માર્ચે રમખાણો બાદ શહેરમાં લાદવામાં આવેલ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે.
નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન સંજય બાગ કોલોનીમાં ફહીમ ખાનનું બે માળનું મકાન છે, જેને આજે તોડી પાડવામાં આવ્યું છે. આ પહેલીવાર હશે જ્યારે NMCએ રમખાણોના આરોપીની મિલકત પર આવી કાર્યવાહી કરી અને ગેરકાયદે બાંધકામને બુલડોઝ ફેરવ્યું હોય.