અહીં 1400 થી વધુ ગેરકાયદેસર ઇમારતો તોડી પાડવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશને પગલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) એ જંગલેશ્વર વિસ્તારમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ શરૂ કરી છે.
અધિકારીઓએ શું કહ્યું?
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે પોલીસની મદદથી જંગલેશ્વરમાં આજી નદીના કિનારે અને મ્યુનિસિપલ ટાઉન પ્લાનિંગ રોડ પર બનેલી 1,489 મિલકતોને તોડી પાડવામાં આવશે. કોર્પોરેશને શનિવારે રહેવાસીઓને જગ્યા ખાલી કરાવવાનું શરૂ કર્યું હતું.
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બુલડોઝર કાર્યવાહી
આ ઝુંબેશ હાથ ધરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભક્તિનગર સર્કલ નજીક સેઠ હાઇસ્કૂલ ખાતે 2,500 થી વધુ મ્યુનિસિપલ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા લોકો શાંતિથી પોતાના ઘર ખાલી કરી રહ્યા છે અને તેમને પોતાનો સામાન લઈ જવા દેવામાં આવ્યો છે. આ કામ નિયમો અનુસાર કરવામાં આવશે. કમિશનર સુમેરાએ જણાવ્યું હતું કે સ્થળ પર એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે અને તેઓ સમગ્ર પ્રક્રિયા પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે.
આજી નદી કિનારાના 4.6 કિમીના પટમાં 36,000 ચોરસ મીટરમાં ફેલાયેલા 1,489 થી વધુ “ગેરકાયદેસર બાંધકામો” ને દૂર કરવાની કાર્યવાહી આજ સવારથી જ ચાલી રહી છે, જે તેને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં આવી સૌથી મોટી બુલડોઝર કવાયત છે.
પોલીસે ડિમોલિશન ઝુંબેશ માટે કડક પગલાં પણ લીધા છે, જેમાં એક ડીઆઈજી અને 11 એસીપીના નેતૃત્વમાં લગભગ 3000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે ત્યાં જ શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ જાહેર સ્થળોએ ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવાણમાં આવ્યો છે.
રાજકોટ શહેર વહીવટીતંત્ર અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની જેમ આજી રિવરફ્રન્ટ બનાવવાની યોજના ધરાવે છે . જૂન 2025 માં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને રંગમતી નદી કિનારે 600 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા, જે જામનગરમાંથી વહેતી બે નદીઓમાંથી એક છે – બીજી નાગમતી. જામનગરમાં પણ રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું આયોજન છે.