HomeSurat CityBreaking News : સુરતમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ,...

Breaking News : સુરતમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Date:

Related stories

‘મહિલાઓને શું પહેરવું એ કહેવાનું ક્યારે બંધ થશે?’ કૃત્તિ સેનનનો ટ્રોલર્સને જવાબ

રક્ષાબંધન જેવી પરંપરા અને પહેરવેશને લઈને શરૂ થયેલી ચર્ચાએ...

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

સુરત શહેરમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પતંગ ખરીદવા આવેલા ત્રણ ગ્રાહકોને માર મારવાના આરોપસર સરથાણા પોલીસ મથકમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં અલ્પેશ કથીરિયા તેમના ભાઈ અને અન્ય એક વ્યક્તિ સહિત કુલ ત્રણ સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ ખાતે બની હતી. ગ્રાહકો અને અલ્પેશ કથીરિયાના ભાઈ વચ્ચે પતંગના ભાવ મુદ્દે બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ ઉગ્ર બનતા અલ્પેશ કથીરિયાએ ભાઈ સાથે મળીને ગ્રાહકોને માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પતંગની ખરીદી દરમિયાન થયેલી આ બબાલ અને પાટીદાર નેતા સામે નોંધાયેલી ફરિયાદને કારણે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Subscribe

Latest stories