Thursday, Oct 23, 2025

Breaking News: ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 64500 ક્યુસેક પાણી છોડાયું

1 Min Read

આજે 25 ઓગસ્ટ 2025ના રોજ ધરોઈ ડેમ ખાતે ઉપરવાસમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતાં સવારે 7 વાગ્યે ધરોઈ ડેમમાંથી આશરે 64500 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (સા.રી.ફ્ર.ડે.કો.લી.) દ્વારા આ અંગે રીવરફ્રન્ટ ડેવલપમેન્ટના ચાલતા કામોના કોન્ટ્રાક્ટરો/એજન્સીઓ, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એન.એચ.આર.સી.એલ.)ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરો, રિવરફ્રન્ટની બોટિંગ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ એજન્સીઓ, સુરક્ષા એજન્સીઓ અને પોલીસ પ્રશાસનને અગાઉથી જાણ કરવામાં આવી છે.

Share This Article