Mahadev Appને લઈને BJP ના કોગ્રેસ પર પ્રહાર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું- ૫૦૦ કરોડની લાંચ લીધી

Share this story

મહાદેવ એપને લઈને ભારતીય જનતા પાર્ટી સતત કોંગ્રેસ પર નિશાન સાધી રહી છે. મંગળવારે ભોપાલમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઠાકુરે કહ્યું કે ‘કોંગ્રેસે દારૂ કૌભાંડ, કોલસા કૌભાંડ, મહાદેવ એપમાંથી ૫૦૮ કરોડ રૂપિયાની લાંચ લીધી છે.

છત્તીસગઢની ૨૦ વિધાનસભા બેઠકો અને મિઝોરમની તમામ ૪૦ વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢની બાકીની ૭૦ સીટો માટે ૧૭ નવેમ્બરે મતદાન થશે. મતદાનને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ૩ ડિસેમ્બરે જાહેર થશે. ચુંટણીના આ માહોલ વચ્ચે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકોરનું નિવેદને ચર્ચાનો વિષય બન્યું છે.

અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે, છત્તીસગઢમાં મહાદેવ એપ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ મોટી મોટી વાતો કરતા હતા, પરંતુ દિલ્હીમાં પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે કહ્યું કે આ રાજ્ય એક સમયે ‘બીમાર રાજ્ય’ હતું, પરંતુ ભાજપના શાસનમાં છેલ્લા વર્ષોમાં વિકાસ થયો છે. અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો કે છેલ્લા એક-બે વર્ષથી ગોઠાન કૌભાંડ, દારૂ કૌભાંડ, કોલસા કૌભાંડની તપાસ ચાલી રહી છે. ભૂપેશ બઘેલ ભ્રષ્ટ નેતા છે. અટકળો દ્વારા સત્તા મેળવવા માંગે છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો એકતરફી હતા અને અમે ચૂંટણી જીત્યા. તેમનું ઈન્ડી ગઠબંધન કોઇ કામનું નથી. મધ્યપ્રદેશમાં પણ મતદારોને મતનું નુકસાન થશે. કોંગ્રેસ વિરુદ્ધ મતદાન થશે. દેવેન્દ્ર તોમરના વાયરલ વીડિયો પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ મામલે FIR દાખલ કરવામાં આવી છે. ઠાકુરે વધુમાં કહ્યું કે હિમાચલ અને કર્ણાટકમાં કોંગ્રેસના વાયદા નિષ્ફળ ગયા છે. ન તો મહિલાઓને પૈસા મળ્યા કે ન દૂધના ભાવ ઘટ્યા. એક હજાર યુવાનોને પણ નોકરી આપી શક્યા નથી. છત્તીસગઢ અને રાજસ્થાન સરકારોએ પણ તેમના વચનો પૂરા કર્યા નથી.

આ પણ વાંચો :-