બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. જેમાં બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે એનડીએ જાહેરાત કર્યા બાદ હવે ઉમેદવારોના નામો અંગે ચર્ચા ચાલી રહી છે. જયારે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપે તમામ 101 ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. જેમાં પક્ષના 16 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાય શકે છે. જેમાં 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ ટિકિટ આપવામાં આવી શકે છે.
બિહારમાં એનડીએ સત્તામાં આવશે
આ ઉપરાંત બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે ભાજપ સોમવારે સાંજે ઉમેદવારોની જાહેરાત શરૂ કરશે. પટનામાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, એનડીએ ગઠબંધને બેઠકોની વહેંચણીની જાહેરાત કરી છે. તેમજ ફરી એકવાર બિહારમાં એનડીએ સત્તામાં આવશે.
એનડીએની બેઠક વહેંચણી ફોર્મ્યુલા
બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે એનડીએ બેઠક વહેંચણી મુદ્દે સર્જાયેલી મડાગાંઠ પર ઉકેલાઈ ગઈ છે. જેમાં બિહારમાં ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર એનડીએ ની બેઠક વહેંચણી ફોર્મ્યુલા શેર કરી હતી. જેમાં ભાજપ 101 બેઠક અને નીતિશ કુમારની જેડીયુ પણ 101 બેઠક પર ચૂંટણી લડશે. જયારે ચિરાગ પાસવાનના નેતુત્વવાળી એલજેપીને 29, આરએલએમને 06 અને એચએએમને 06 બેઠક ફાળવવામાં આવી છે.
કોણ કેટલી બેઠકો પર લડશે ચૂંટણી ?
ઉલ્લેખનીય છે કે વહેંચણીમાં સીએમ નીતિશકુમારની જનતા દળ યુનિટ અને ભાજપ 101-101 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે 243 સીટ નાના સાથી પક્ષોને ફાળવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની એલજેપી (રામ વિલાસ પાસવાન) 29 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીની એચએએમ (હિન્દુસ્તાની અવમ મોરચા) અને રાજ્યસભા સાંસદ ઉપેન્દ્ર કુશવાહાની આરએલએમ છ-છ બેઠકો પર ચૂંટણી લડશે.
એચએએમ અને આરએલએમએ બેઠક વહેંચણી વ્યવસ્થા પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે. આજે સવારે દિલ્હીથી પરત ફર્યા બાદ, નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાએ જણાવ્યું હતું કે બેઠક વહેંચણી વ્યવસ્થા પરસ્પર સંમતિથી સંમતિ થઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે તેઓ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.