Saturday, Nov 1, 2025

તેલંગાણામાં રેડ્ડી સરકારનો મોટો નિર્ણય: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મંત્રી બન્યા

1 Min Read

કોંગ્રેસના સીનિયર નેતા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનને તેલંગાણા સરકારે પોતાના મંત્રીમંડળમાં સામેલ કર્યા છે. મોહમ્મદ અઝગરૂદ્દીને મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નેતૃત્ત્વ ધરાવતી તેલંગાણા સરકારના મંત્રીમંડળમાં મંત્રી પદના શપથ લીધા છે.

તેલંગાણા રાજભવનમાં આયોજિત એક સમારંભમાં રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ મુખ્યમંત્રી સહિત કેટલાક મહત્ત્વપૂર્ણ નેતાઓની હાજરીમાં મોહમ્મદ અઝહરૂદ્દીનને મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. અઝહરૂદ્દીનના સામેલ થવાથી મંત્રી મંડળમાં કુલ 16 સભ્ય થઇ ગયા છે. હજુ બે સભ્ય સામેલ થઇ શકે છે. તેલંગાણા વિધાનસભામાં સભ્યોની સંખ્યા અનુસાર, 18 મંત્રી બની શકે છે.

મુસ્લિમ મતદારો નીભાવી શકે છે નિર્ણાયક ભૂમિકા
પૂર્વ ક્રિકેટરના મંત્રી પદ પર નિયુર્તિને એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે કારણ કે કોંગ્રેસ પાર્ટી જ્યુબલી હિલ્સ પેટા ચૂંટણીમાં મહેનત કરી રહી છે, જ્યાં એક લાખ કરતા વધારે મુસ્લિમ મતદાર નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આ વર્ષે જૂનમાં BRSના ધારાસભ્ય મગંતી ગોપીનાથનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું જેને કારણે આ બેઠક ખાલી પડી છે અને ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે.

MLC માટે નોમિનેટ થયા હતા અઝહરૂદ્દીન
તેલંગાણા સરકારે અઝહરૂદ્દીનને રાજ્યપાલ કોટા હેઠળ વિધાન પરિષદ સભ્ય (MLC)ના રૂપમાં નોમિનેટ કર્યો હતો. અઝહરૂદ્દીને 2023ની ચૂંટણીમાં જ્યુબિલી હિલ્સ બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

Share This Article