Thursday, Mar 19, 2026

જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી: ઉધમપુરમાં બે આતંકી ઠાર, ઓપરેશન હજુ ચાલુ

2 Min Read

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતીય સેનાએ ઉધમપુરમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની વિગતો મળી છે. આ બંને આતંકવાદી જૈશ-એના હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ગઈકાલથી અથડામણ થઈ રહી છે, તેમાં આજે બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યાં છે. હજી પણ સેના દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ મામલે જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલે વિગતો આપતા જણાવ્યં કે, જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સીઆરપીએફે સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં ઉધમપુરના બંસંતગઢ વિસ્તારમાં થયેલી અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યાં છે, અને હજી પણ ઓપરેશન યથાવત છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ગઈ કાલે રામનગરના જાફડ જંગલોમાં આવેલી એક ગુફામાં આતંકવાદીઓ દેખાયા હોવાની વિગતો ભારતીય સેનાને મળી હતી.

ભારતીય સેનાને આતંકીઓ હોવાની જાણકારી મળ્યાં બાદ સેનાએ આ વિસ્તારની ઘેરી લીધો હતો. આ દરમિયાન થયેલી ફાયરિંગમાં એક આતંકી ઘાયલ પણ થયો હતો, પરંતુ પછી તે તેના સાથી સાથે ગુફામાં ભાગી ગયો હતો. આ પછી રાત્રે અંધારાનો લાભ લઈને આતંકીઓ ગુફા છોડીને ફરાર થઈ ગયાં હતા. આ દરમિયાન આ વિસ્તારમાં ભારે ફાયરિંગ થયું હતું. અત્યારે આ વિસ્તારને ભારતીય સેના સંપૂર્ણ રીતે ધેરી લીધો છે. રાત્રે કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું ન હતું.

માહિતી એવી મળી છે કે, આતંકવાદીઓએ આત્મસમર્પણ કરવાની ના પાડી દીધી હોવાથી સેના દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આખા વિસ્તારની મજબૂત રીતે ઘેરાબંધી કરી દીધી છે. આ દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કર્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 132મી બટાલિયન સાથેના સંયુક્ત ઓપરેશનથી અબી ગુજર વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં શોધખોળ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.

Share This Article